પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
અશ્મિગત બળતણનું દહન થવાથી જુદા જુદા પ્રકારના પ્રદૂષકો પૃથ્વીના ક્ષોભ આવરણમાં ઉત્સર્જિત થાય છે. આ પૈકી નાઇટ્રિક ઑક્સાઇડ $(NO)$ અને હાઇડ્રોકાર્બનિક પૂરતું ઊંચું પ્રમાણ જમા થાય છે. સુર્યપ્રકાશની હાજરીમાં આ નાઇટ્રિક ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન વચ્ચે શુંખલા પ્રક્રિયા થઈ $NO_2$ બને છે. આ $NO_2$ સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા શોષી નાઇટ્રિક ઑક્સાઇડ અને મુક્ત ઑક્સિજન પરમાણુમાં ફેરવાય છે.
$\mathrm{NO}_{2(\mathrm{~g})} \stackrel{h v}{\longrightarrow} \mathrm{NO}_{(\mathrm{g})}+\mathrm{O}_{(\mathrm{g})} \quad \ldots \ldots \ldots . .(\mathrm{i})$
મુક્ત થયેલો ઓક્સિજન પરમાબુ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈ ઓઝોન બનાવે છે. $\mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \rightleftharpoons \mathrm{O}_{3(\mathrm{~g})} \quad \ldots \ldots \ldots . .$ $(ii)$
આમ, પ્રક્રિયા $(ii)$ દ્વારા બનેલો ઓઝોન વાયુ પ્રક્રિયા $(i)$ દ્વારા બનેલા $\mathrm{NO}_{(\mathrm{g})}$ સાથે ખૂબ જ ઝડ઼થી પ્રક્રિયા કરી ફરીથી $\mathrm{NO}_{2(\mathrm{~g})}$ બનાવે છે.
આ $\mathrm{NO}_{2(\mathrm{~g})}$ કથ્થઈ રંગનો વાયુ છે. તેનું ઊંચું પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે.
$\mathrm{NO}_{(\mathrm{g})}+\mathrm{O}_{3(\mathrm{~g})} \rightarrow \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$
ઓઝોન ઝેરી વાયુ છે. $\mathrm{NO}_{2}$ અને $\mathrm{O}_{3}$ બને પ્રબળ ઓક્સિડેશકર્તા છે. તે પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન સાથે પ્રદ્રિયા કરી ફોરાલ્ડિહાઈડ, એક્રોલિન અને પરઓક્સિઓસિટાઈલ નાઈટ્રેટ $(PAN)$ બનાવે છે.
$3 \mathrm{CH}_{4}+2 \mathrm{O}_{3} \rightarrow 3 \mathrm{CH}_{2}=\mathrm{O}+3 \mathrm{H}_{2} \mathrm{O}$
$\mathrm{CH}_{2}=\mathrm{CHCH}=\mathrm{O}$
ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?
એક ખેડૂત તેના ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેના ખેતરનો ઉપયોગ માછલીઓના પોષણ માટે જરૂરી ખોરાકના ઉત્પાદનમાં કરે છે. તેને કહેવામાં આવ્યું છે કે માછલીઓ માનવ વપરાશ માટે યોગ્ય નથી કારણ કે માછલીઓના કોષોમાં મોટી માત્રામાં જંતુનાશકો મળી આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને ? સમજાવો.
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?
નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા
$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા.